Wednesday, 22 April 2020

*વિશ્વ પુસ્તક દિવસ* મારા વિચારો....🖋️🖋️🖋️

"Some books are to be tasted, others to be swallowed and some few to be chewed and digested."
- Francis Bacon

 અંગ્રેજી સાહિત્યના મહાન નિબંધ લેખકે પુસ્તક વિશે કંઈક ઉપર મુજબ કહ્યું છે. 

આજે વિશ્વ પુસ્તક દિવસ છે ત્યારે પુસ્તક વિશેના ખ્યાલો મારે યુવા મિત્રો સાથે મોકળા મને વહેંચવા છે. ટેક્નોલોજીના ક્ષેત્રમાં માનવી હરણફાળ ભરી રહ્યો છે ત્યારે અત્યારે યુવા વર્ગ પુસ્તકોથી વધુ ને વધુ દૂર થતો જાય છે ને ઈંટરનેટ, મોબાઈલ ફોન ને કમ્પયુટરની નજીક સરતો જાય છે. ત્યારે પુસ્તકોથી તે વિમુખ થતો જાય છે. 
અંગ્રેજીમાં  એક શબ્દ છે-  voracious reader. વાચક કેવો હોવો જોઈએ તો કે જેમ ભૂખ્યા માણસ ને જેમ ખોરાકની તીવ્ર ભૂખ હોય તેમ વાચકને વાચન માટે અતિશય ભૂખ હોવી જોઈએ. અત્યારનો યુવા વર્ગ પોતાનો મોટા ભાગનો સમય મોબાઈલ પર જુદી જુદી રમતો રમવામાં અથવા તો સોશ્યલ મીડીયા જેમ કે ફેસબૂક, ટીકટોક, ઇન્ન્સ્તા ગ્રામ કે વોટસ એપ પર વ્યતિત કરે છે જેને કારણે પુસ્તકોની દુનિયાથી તે સાવ અજાણ છે. 
શાળા કોલેજો માં અપાતા શિક્ષણમાં પણ વાચન કૌશલ્ય નો અભાવ છે જો કે તેમાં ઘણી મર્યાદાઓ છે પણ આખરે તો વાચનની ટેવ વ્યક્તિએ જાતે જ વિકસાવી પડે છે. જો આજના યુવાનને વાચન માટે અભિમુખ કરવો હોય તો તેના માટે નક્કર દિશામાં વિચારવું આવશ્યક નહિ અનિવાર્ય છે નહિતર આવતી પેઢી માટે પુસ્તક શબ્દ માત્ર શબ્દ કોષ માં રહી જશે.
એક કહેવત છે કે   charity begins from home.   આજના બાળકને નાનપણ થી જ વાચનની ટેવ પાડવી જોઇશે જે કાર્ય માતા પિતાએ ઘરમાં પૂરૂ પાડવું જોઇએ. અત્યારે માતાપિતા 8 કે 9 વર્ષના પોતાના બાળકને જન્મ દિવસે 20000 રૂપિયાનો મોબાઇલ ફોન ભેટમાં આપતા અચકાતા નથી તો બાળકને 20000 રૂપિયા ના પુસ્તક ભેટમાં આપ્યા હોય તો? બાળક તો કૂમળો છોડ છે જેમ વાળો તેમ વળશે. 
તેનો અર્થ એટલો જ કે નવી પેઢીને વાચતી કરવા માટે આપણે ઍક સોચ બદલવાની જરૂર છે.
આજના વિશ્વ પુસ્તક દિવસે આપણે ઍક જાગ્રત માતા પિતા તરીકે આવો ઍક નાનો સંકલ્પ કરીએ કે હું મારા બાળકને તેના જન્મ દિવસ પર 500 રૂપિયા ના પુસ્તકો ભેટ આપીશ.
મિત્રો, ઍક નાનું અમથું પુસ્તક માનવ ની વિચાર ધારા અને જીવન બદલી નાખે છે. કોઇકે ખરૂં જ કહ્યુ છે કે જે ઘરમાં બે ચાર સારા પુસ્તકો ના હોય તે ઘરમાં દીકરી દેતાં વિચાર કરજો.
શાળા કક્ષાએ થી એક પીરીયડ લાઈબ્રેરી પ્રવુતિ નો રાખી શકાય
કોલેજ કક્ષાએ બુક રિવ્યૂ ના  તાસ ગોઠવવા જોઈયે
શ્રેષ્ઠ રીડર નો એવોર્ડ આપવો જોઈએ
વાંચન થી થતા ફાયદાઓ જેવાકે વિચારશક્તિ , યાદશક્તિ, નિર્ણયશક્તિ, માનસિક શક્તિ , જાણકારી, જ્ઞાન માં વધારો, તાર્કિક શક્તિ, બેસ્ટ ફ્રેન્ડ વગેરે રીતે પોતાના માં વધારો કરે છે

આવો, આપણે સૌ સાથે મળીને આ વિશ્વ પુસ્તક દિવસે સંકલ્પ કરીએ કે આ યુવા પેઢીમાં હુ વાચન માટે રસ નિષ્પન્ન કરાવીશ જેથી આવતી પેઢી દ્વારા ઍક સમૃધ્ધ સમાજ અને રાષ્ટ્રનું નિર્માણ થઈ શકે.
ર્ડો. શિશિર મંડાલીયા
પાર્થ ઓઝા

Wednesday, 16 May 2018

Phases

At this juncture, where I wanna talk about us being in the frame of Bleak and despondency..
Where we r being ruled by them.We all see the worlds taking steps further parallel in our universe. We listen to their echoes of happiness and we want the same for us. But instead we find silence in our journey for some slots.
So that's what makes me think how human lives r being lived.
We all wanna explore corners and on that way we all r on the same page...we all wanna get alchemized and carefree and this ecstasy..they say it's got power to lighten up yr world and every activity that u do.
Perhaps it leads me talk about phases and chapters as life is all about that.
Sometimes we feel like a person we r supposed to be and someday we turn into no one at all. In some chapter we r overwhelmed with misery and anxieties and someday we r so happy and sounding merrier. Sometimes we let those dark echoes win over happiness..
It appears that in some phases as a child we wanna cry about things.. or as a baby we wanna question about stars and time travel and as an adult we wanna do riots and rebel against the world..but in the end we accept things as well. Fame and Fortune elude us. After all we r supposed to plant our presence in every phase bcoz every stage has its merits and demerits and that's why we r supposed to wait for our merits...
And perhaps after all in all our lives there's this ebullient phase comes where happiness transforms. It comes and where we become a host  and give a goodbye kiss to our dark phase. We transform and adopt ourselves with Felicity. We get high and find an earth a better place. Well believe me we bring smiles on the ppl' faces as well as we become happy. We see lights in every street which we used to find in dark and that's may be the magic of Slots and Phases. They drive us and we still get ruled.
And there's this last phase comes into our life where curiosity of knowing things comes to an end and that's called "Enlightenment".
We live and surprises and we get enlighted everyday.

Tuesday, 26 January 2016

The Pink Parade

The World is balanced between the Two Human Species, The Men and The Women. but when question comes to Equality, Rights, and Social Status, the other Species always have to Suffer more than the previous one. Many things have been done to improve the Social status of the Women, But still we don't have enough as Satisfactory Result. let's re-call the efforts made by Raja Ram Mohan Roy, Who did a enormous work in abolishing "Sati Pratha" , It's undoubtedly Ridiculous So, Do we really need another Raja Ram Mohan Roy Today?? 

Well, the most remarkable step has been taken by the Government of Maharashtra i.e. Introduction of the Pink Auto rickshaw that is " for the women, by the women", The Scheme it self has a positive measures, Which unfold the Sense in which government is trying.

The Sociological Impact and economically Impact of this scheme, will be positive and long lasting , as  it includes the women as a work force, another thing we need to take into Consideration is the Safety, If I am a fearful kid and I have two option to go with. One is I can go for my family members as i can go with an Unknown friend, Certainly i will go for Previous one, that would be the same situation in this case.

As the Case of Rape and Sexual harassment are increasing day by day, moreover the recent incident in which a Uber driver alleged to Rape a Customer adds more serious impacts, So the initiative would lead to Regain that trust and safety standards.

The initiative is also a noteworthy in the Sense that, it hides our Patriarchal mindsets, which is much more needed in order to uplift the women and to improve gender equality.

To Drive a Rickshaw it doesn't need a bachelor or graduation degrees So, We can extends economical benefits to Un-educated or illiterate Women's and can give them opportunities to raise the standards of their life.

Main Theme:

The Main theme, the scheme covers, that is the women empowerment we need to know where we can standing in the World?? in terms of gender equality indexes, How many women are getting good standard of health, education and other basic requirements, The other thing we need to care about is the dignity of the women, their safety and we need to make sure that they are treated with Respect, I Really do wish that Such attempts will be made in future and the such projects should be extended in Rural areas of Indian States. The unemployment, Poverty, Paid labours, Crimes all goes hand in hand, If you give employment to such indigenous people, naturing  they want, The another approach is to give them opportunity to show their talents, they also need a marketing, as we see the Power of Media, we can use it in a such a positive manner, Rather than broadcasting a news of Shina Bora Case, like it was a matter national threat to Indian People.

Problem with us:

The Problem with us, is that we don't recognize our self and much bigger problems with the girls are that they are burdened by dubious rules and rituals, which doesn't even make sense. They are always to be told that they have to listen to their parents upto their 20's , after getting married they have to listen to their Husband, Bullshit!! and these problems didn't work like this, if Society accepts that changes, if One did go against such Unrealistic customs of society, people boycott here, as we know all changes are hard at beginning, messy at mid and happiest at ending.

We all knows the "Priyanka Chopra" but only few of us knows the "Arunima Sinha", why this?? because we don't find it entertaining, I guess inspiration is more important than entertainment!!!!!

Wednesday, 4 November 2015



Khan Academy is a non-profit educational organization created in 2006 by educator Salman Khan to provide "a free, world-class education for anyone, anywhere". The organization produces micro lectures in the form of YouTube videos. 



14 Facts about Indian education system and a remedy


PDF Books, Download the best free e-books

You can Download Novels, Non-fiction, Thrillers, Travel, Romance, Action & Adventures, Drama, Fantasy, Mystery & Detective and Science fictions in PDF format from here.


પ્રેમના નામે સંબંધોમાં સોદાબાજી કરનારા અનેક છે અને એ જાણવા છતાં ખુલ્લી આંખે છેતરાનારા કે પરવશતા અનુભવનારા તો એથી’ય વધારે છે!

08MAR
‘એ તમારી નબળાઈઓને જાણે છે, આ જ નબળાઈઓનો એ તમારી સામે કે તમારી ઉપર કાબુ ધરાવવા ઉપયોગ કરે છે, આ ઉપયોગ થકી એ પોતાના લાભમાં તમારી લાગણીઓ કે વિચારોને મચડે છે અને એકવાર આમ કરવામાં સફળ થયા પછી અવાર-નવાર વિવિધ રીતે એ તમારી ઉપર ઈચ્છિત કાબુ ધરાવે છે’ – તમને થશે કે સવાર સવારમાં મેં કોની વાત માંડી છે?! કોઈ વાઈરસ-બેક્ટેરિયા કે સોફ્ટવેર-માલવેરની વાત છે?!! ના, – ના તો કોઈ માઈક્રોઓર્ગેનીઝ્મની હું વાત કરું છું કે ના કોઈ ટેકનોલોજીની, હું તેના કરતા પણ આપણી રોજીંદી જીંદગીમાં પળે પળે આપણા પર વધુ અસર કરતા એવા માણસો અને તેમના અભિગમની વાત કરું છું. હું આપણી સાથેના રોજીંદા વ્યવહારમાં ચાલાકીથી પોતાની તરફેણમાં કે લાભમાં કામ પાર પાડતી વ્યક્તિઓ (મેનીપ્યુલેટર્સ) અને આપણી લાગણીઓ-વિચારોને કોઈ અંગત ફાયદાની તરફેણમાં મચડવા માટે અપનાવાતા અભિગમ (મેનીપ્યુલેટીવ ટેક્ટીક્સ)ની વાત કરું છું. સંબંધોમાં પરસ્પર ફાયદા કે પછી એકબીજાને કરાતી મદદને અને આ વાતને કંઈ લેવાદેવા નથી, આ વાત તો એકના ફાયદાની અને બીજાના શોષણની છે. મોટાભાગના કિસ્સાઓમાં તો આ લખાય છે કે વંચાય છે તેટલી ખુલ્લી અને સરળ આ વાત નથી, વ્યક્તિ તેના પ્રત્યે સતર્ક કે જાગ્રત ના થાય ત્યાં સુધી તો જાણબહાર ભજવાતો આ ખેલ છે.
જાહેરાતો, જીવનમાં બદલાવ લાવતી વર્ક્શોપોના ફ્રી લેકચરો, નેતાઓના ભાષણો વગેરેમાં આવી ચાલાકીઓ ભરપુર હોય તે સમજી શકાય એમ છે કારણ કે તમને મેનીપ્યુલેટ કરીને જ તેમની દુકાનો ચાલતી હોય છે. વાસ્તવિકતા અને તમારી લાગણીઓને આ લોકો પોતાના ફાયદા માટે મચડીને પોતાનો ધંધો કરે છે. પરંતુ, પ્રશ્ન એ થાય છે કે અંગત અને અંતરંગ સંબંધોમાં કોઈ એકબીજા સાથે આવું કેમ કરે?! આવી માનસિકતાના મૂળ જટિલ અને ઊંડા હોય છે. ક્યાંક કૌટુંબિક પ્રભાવ હોય, ક્યાંક વ્યક્તિત્વ જ એવું હોય અથવા ક્યાંક શોષણ કરતા કરતા ચાલાકી મગજમાં બેસી જાય. એક જ વાતમાં કહું તો, સંબંધોમાં જે પોતાની જરૂરિયાતો કે અપેક્ષાઓ મક્કમતા કે દ્રઢતાથી નથી જણાવી શકતા તે લોકો ચાલાકીનો સહારો લે છે. પોતાની ઈચ્છાઓ કે જરૂરિયાતોને પોષવા તે સીધેસીધું કહેવાને બદલે આડકતરી અભિવ્યક્તિનો સહારો લે છે. ઘણીવાર એમને એ ખબર પણ હોય છે કે એમની જરૂરિયાત એટલી સ્વકેન્દ્રી છે કે સીધેસીધું કહેવાથી નહીં સંતોષાય એટલે એ મેનીપ્યુલેશનનો ચાલાકીભર્યો અભિગમ અપનાવતા હોય છે. લઘુતાગ્રંથી અને લાગણીઓની અસલામતીથી પીડાતી વ્યક્તિઓ મક્કમતાથી રજૂઆત કરતા ડરતી હોય છે, માટે તે ઘુમાઈ-ફીરાઈને ચાલાકીપૂર્વક રજૂઆત કરતી હોય છે. કારણો ગમે તે હોય પણ આપણે જયારે આવી ચાલાકીઓનો ભોગ બનીએ છીએ ત્યારે જાણ્યે-અજાણ્યે મનોમન રીબાઈએ છીએ અને ક્યારેક આક્રોશ કે ઉચાટ પણ અનુભવીએ છીએ. પોતાના કે પારકા, કોઈએ પણ પાથરેલી ચાલાકીની આવી જાળમાં ના ફસાવું હોય કે લાગણીઓની પરવશતાના ચક્કરમાં ના પડવું હોય તો સૌ પહેલા એ જાણવું પડશે કે આવી વ્યક્તિઓ વિચારો-લાગણીઓને મચડવાના કે નબળાઈઓનું શોષણ કરવા કેવા રસ્તા અપનાવતી હોય છે.
વ્યવહારમાં ચાલાકીથી પોતાની તરફેણમાં કે લાભમાં કામ પાર પાડતી વ્યક્તિઓ (મેનીપ્યુલેટર્સ)ના ભાથામાં અનેક તીર હોય છે. આ માટે તે તમારામાં ગુનો કર્યાની લાગણીઓ (ગીલ્ટ) ઉભી કરે, સાચી-ખોટી ફરિયાદો કરે, તુલનાઓ કરે, જુઠ્ઠું બોલે, બોલેલું ફરી જાય, બહાના બતાવે, અજાણ્યા બની જાય, નિર્દોષ બની જાય, પ્રલોભનો આપે, દોષ કાઢે, ધારણાઓ બાંધી લે, મનથી રમતો રમે, ઉડાઉ જવાબો આપે, ખોટી લાગણીઓ બતાવે, ઈમોશનલ બ્લેકમેલ કરે, સગવડતાપૂર્વક ભૂલી જાય, જવાબદારીમાંથી છટકી જાય, પીઠ પાછળ બોલે કે પ્રવૃત્તિઓ કરે, સહાનુભુતિ બતાવે, મસ્કાબાજી કરે, માફીઓ માંગે, બિચારા બની જાય, તરફેણ કરે, ભેટ-સોગાદો આપે, વચનો ના પાળે, બીમારી આગળ ધરે વગેરે અનેક યુક્તિ કે આવડત દ્વારા એ સામેવાળાને પોતાની ઈચ્છા મુજબ નચાવતા હોય છે. એવું નથી કે આ પ્રકારના અભિગમ સામાન્ય વ્યવહારમાં જોવા ના મળે પરંતુ આ આખી’ય વાતમાં અભિગમ કરતા વધુ મહત્વનો તેની પાછળનો ઈરાદો છે.
તમે ઈચ્છતા હોવ કે સંબંધોમાં તમારે આ પ્રકારના શોષણથી બચવું છે તો તમારે તમારી સાથે થઇ રહેલા વ્યવહારો પરત્વે હંમેશા જાગૃત રહેવું જોઈએ, જરૂર જણાય એવા કિસ્સાઓમાં આ વ્યવહારોનું એનાલીસીસ પણ કરવું જોઈએ અને ખબર પડે કે કોઈ તમને પોતાની અંગત જરૂરિયાતો માટે મચડી રહ્યું છે તો સભાનતાપૂર્વક તેના વ્યવહારો ચકાસવા જોઈએ. આમ કરતા તમને સમજાશે કે એ તમને મેનીપ્યુલેટ કરવા કઈ ચાલાકીઓ કરે છે. જરૂરી નથી કે તે આ માટે એક જ પ્રકારની રીત અપનાવ્યા કરે, મૂળ સવાલ વૃત્તિનો છે, બાકી રસ્તાઓ તો બદલાતા રહેતા હોય છે. તમે પોતાની લાગણીઓ ઉપર યોગ્ય કાબુ રાખી શકો અને તટસ્થતાથી અન્યના પોતાની સાથેના વ્યવહારો અંગે ચિંતન કરી શકો તો આવી વ્યક્તિઓને કે વ્યવહારોને ઓળખવા મુશ્કેલ નથી. આપણી અંતરસૂઝ (ગટ ફીલિંગ) મોટાભાગના કિસ્સાઓમાં આપણને આ બાબતનો અણસાર આપી દઈ શકે તેમ હોય છે પરંતુ લાગણીવશ કે સામેવાળાની ચતુરાઈવશ આપણે તેને અવગણવાનું વલણ ધરાવીએ છીએ! એમાં’ય ખાસ કરીને પ્રેમના નામે સંબંધોમાં સોદાબાજી કરનારા અનેક છે અને એ જાણવા છતાં ખુલ્લી આંખે છેતરાનારા કે પરવશતા અનુભવનારા તો એથી’ય વધારે છે.
સીધેસીધું કહું તો, વ્યક્તિ કે તેનો વ્યવહાર ગમે તેટલો ચાલાકીભર્યો હોય, તમારી પરવશતા દુર કરવી તમારા હાથમાં છે. કશું’ય ના સમજાતું હોય તો પણ એટલું તો સમજાયને કે જે તે વ્યક્તિ સાથેના વ્યવહારમાં તમે સહજતા અનુભવો છો કે નહીં?! જો તમે કોઈ સંબંધમાં વધુ પડતું દબાણ, દમન કે બંધન અનુભવતા હોવ તો તમારે તેને લાગણીવશતા કે પરવશતા બાજુ પર મુકીને બુદ્ધિપૂર્વક મૂળમાંથી ચકાસવો પડશે. આ ચકાસણીને જો તમારી લાગણીઓ નહીં અભડાવે તો તમારી અંતરસુઝ જ તમને મદદ કરવા અને માર્ગદર્શન પૂરું પાડવા સક્ષમ હોય છે.
પૂર્ણવિરામ: જયારે સંબંધમાં ‘જો તું મને પ્રેમ કરતો/કરતી હોઈશ તો…’ એવો સંવાદ આવે ત્યારે નક્કી સમજવું કે લાગણીઓના મુદ્દે તમારું શોષણ થઇ રહ્યું છે. પ્રેમ સાબિત કરવાની વાત નથી, વિના સાબિતીએ  અનુભવવાની લાગણી છે.
Courtesy : Dr. Hansal Bachech

જે વ્યક્તિઓને કંટાળો, અણગમો, એકલતા કે અસલામતી સતાવતી હોય તે વ્યક્તિઓ જાણે-અજાણે સ્માર્ટફોનને વળગેલી રહેતી હોય છે.

15OCT
જો તમારી બેડરૂમ લાઈફ બોરિંગ કે યંત્રવત થઇ ગઈ હોય તો બેડરૂમમાં ગેજેટ્સ વાપરવાથી દુર રહો એવી વાત મેં ગયા બુધવારે આ કોલમમાં કરી હતી. બે દિવસ પછી એક બેનનો ફોન આવ્યો કે પથારીમાં પડ્યા પડ્યા ઘણો લાંબો સમય પોતપોતાના મોબાઈલ ઉપર રહેવાનું અમારું રૂટીન હતું. પરંતુ, મેં અને મારા પતિએ લેખ વાંચીને નક્કી કર્યું કે આજથી બેડરૂમમાં મોબાઈલ બંધ અને જે નિયમ તોડે તેણે તેનો મોબાઈલ બીજા આખા દિવસ માટે સાથીને આપી દેવાનો. તમે નહિ માનો પણ પહેલા દિવસે અમને બંનેને રાતના ત્રણ વાગ્યા સુધી ઊંઘ ના આવી! બીજા દિવસે જ અમે તો નક્કી કરી નાખ્યું કે અમારાથી નહીં થાય. આ સંજોગોમાં તમારી પાસે બીજું કંઈ સજેશન છે?!
‘સેલ્ફ-હેલ્પ બુક્સ’ કે ‘આર્ટીકલ્સ’ની આ જ રામાયણ હોય છે. બુક કે આર્ટીકલ વાંચીને એવા ઉત્સાહમાં આવી જવાય કે જાણે રાતોરાત જીવન બદલી નાખીશું. પરંતુ, ટૂંક સમયમાં જ સમજાઈ જાય કે આપણે માનતા’તા એટલું સહેલું’ય નથી અને આપણે તરત જ તેના વિકલ્પમાં બીજું શું શક્ય છે તે પૂછતાં કે શોધતા થઇ જઈએ છીએ. બીજી એક સેલ્ફ-હેલ્પ બુક ખરીદી લાવીએ કે નવો આર્ટીકલ શોધી કાઢીએ. ચક્કર ચાલ્યા કરે પણ આપણે તો ઠેરના ઠેર!  મોબાઈલનું વળગણ એટલું સરળ અને ઉપરછલ્લું નથી કે તમે નક્કી કરતા જ એનાથી દુર થઇ જાવ. મોટાભાગની વ્યક્તિઓને સ્વીકારવામાં તકલીફ પડે એવી હકીકત એ છે કે મોબાઈલનું વળગણ માત્ર દેખાદેખીનું પરિણામ નથી, તેના મૂળ ઊંડા છે. જે વ્યક્તિઓને કંટાળો, અણગમો, એકલતા કે અસલામતી સતાવતી હોય તે વ્યક્તિઓ જાણે-અજાણે સ્માર્ટફોનને વળગેલી રહેતી હોય છે. આ વ્યક્તિઓને તેમના મોબાઈલ થકી એક પ્રકારની ઉત્તેજના મળતી હોય છે. આ ઉપરાંત તેમની અંગત સમસ્યાઓ ઉપરથી ધ્યાન હટાવવાની તેમના આંતરમનની આ ચેષ્ટા છે. મગજ નવરું પડે અને સમસ્યાઓ મનને બેચેન કરવા માંડે એ પહેલા જ મગજને વ્યસ્ત કરી નાખવાનું, સોશિયલ મીડિયામાં ઈ-પંચાત કે પછી કેન્ડી ક્રશ – મજ્જાની લાઈફ!
તમે અવલોકન કરજો (પોતાનું અને બીજાનું), જે યુગલો એકબીજાની સાથે હોવા છતાં સતત પોતાના ફોનને વળગેલા રહેતા હોય છે તે એકબીજા સાથે વાત કરતા હોય તો પણ તેમની આંખો ફોનમાં મંડરાયેલી રહેતી હોય છે અને ઘણીવાર તેઓ એકબીજાની વાત સંપૂર્ણ અર્થમાં સાંભળતા પણ નથી હોતા. રીસર્ચ કહે છે કે આવા યુગલો વચ્ચે લાગણીઓની નિકટતા અને પરસ્પર વિશ્વાસનું પ્રમાણ ઓછું હોય છે. જો યુગલ નક્કી કરે કે એકબીજાની હાજરીમાં ફોન આવે તો વાત કરવા સિવાય મોબાઈલને હાથ નહિ લગાવવાનો તો ખરેખર તેમની વચ્ચેની વાતચીત વધુ નિકટતા અને વિશ્વસનીયતા ઉભી કરનારી સાબિત થશે અને તેમનું સહજીવન વધુ સુખમય બનશે.
તમને ખબર છે કિશોરો અને યુવાનો ફોન ઉપર વાત કરવા કરતા ટેકસ્ટીંગ અને ચેટીંગ કેમ પસંદ કરે છે?! કોલ કરતા સસ્તું પડે, લોકોની વચ્ચે પણ પ્રાઈવસી જળવાય (તમને ખબર જ ના પડે કે તમારી બાજુમાં બેઠેલા ક્યાં-કોની સાથે લટકેલા છે) અને લાગણીઓની રમતમાં ખુલ્લા ના પડી જવાય(અવાજમાં કે વાતમાં તમારી લાગણીઓ ખુલ્લી પડી જાય એટલી ટેક્સ્ટમાં ના જ પડે). ચાલો સમજ્યા કે એમની આ મજબૂરી છે પણ પતિ-પત્નીની?! ઘણા પતિ પત્ની એકબીજા સાથે ટેકસ્ટીંગથી જ પતાવતા હોય છે. સંબંધની મજબૂતાઈ માટે આ ઘાતક ટેવ છે. એકબીજા સાથે ટૂંકી તો ટૂંકી, પણ વાત કરવાની અને તે પણ સામસામે, આંખોના સંપર્ક સાથે.
ચાલો ગેજેટ્સ-ટેકનોલોજીના વળગણની વાત નીકળી જ છે તો બીજી એક વાત પણ કરી દઉં. એક યુવક મને કહેતો’તો કે હું ‘વોટ’સ એપ’ ચાલુ કરું એટલે પહેલા મારી પત્ની સાથેનું જ ચેટ બોક્સ ખોલું. ચેટ કરવા નહીં પણ એ ઓનલાઈન છે કે નહીં એ જોવા!! અને જો એ ઓનલાઈન હોય તો હું તરત જ ઓફલાઈન થઇ જાઉં કારણ કે એ જો મને ઓનલાઈન જોઈ જાય તો મારું આવી જ બને. પછી તો બધું જ એક્સપ્લેન કરવું પડે અને એને ગળે ઉતરે તો ઠીક નહીંતર મહાભારત. ઘણા યુગલો પોતાના સાથીઓને સોશિઅલ નેટવર્ક ઉપર ખુબ ઊંડાણપૂર્વક ફોલો કરતા હોય છે. તે ક્યારે ઓનલાઈન છે? કેટલો સમય ઓનલાઈન હતો? તે શું પોસ્ટ કરે છે? તેની પોસ્ટ ઉપર કોણ કોણ લાઈક-કોમેન્ટ કરે છે? વગેરે બધું જ નાનું-મોટું અને એ પણ મોટાભાગે છાનું-માનું. સાથીઓની આવી આદત સંબંધોમાં ના જોઈતા પ્રશ્નો અને શંકા, જેલસી, અસલામતી વગેરે જેવી નકારાત્મક લાગણીઓ ઉભી કરે છે. તો કેટલીકવાર એકબીજા વચ્ચેના સંબંધો એટલા રસહીન અને શુષ્ક થઇ ગયા હોય કે તેનાથી થતો આંતરિક અજંપો દુર કરવા કેટલાક યુગલો સોશિઅલ નેટવર્ક ઉપર પોતાની લવી-ડવી તસ્વીરો કે પોતાની વચ્ચે જબરદસ્ત પ્રેમ છે એવું દર્શાવતા સ્ટેટસ ઠોકે રાખતા હોય છે. વાસ્તવમાં તો આ તેમના મનની ‘પોતાનો સંબંધ જીવંત છે’ તેવો દિલાસો આપવાની અજાગ્રત ચેષ્ટા માત્ર છે. જો આમાનું કશુંક લાગુ પડે છે એવું સ્વીકારી શકતા હોય તેવા દરેક યુગલે તેમના સંબંધને નવેસરથી તપાસવો જોઈએ.
આવી ઘણી નાની-મોટી વાતોમાં કલમ અવિરત ચાલ્યા કરે એમ છે. સજેશન પહેલું ગણો, બીજું ગણો કે છેલ્લું ગણો પણ એ એટલું જ છે કે ટેકનોલોજીનો વિરોધ નથી અને ના જ હોઈ શકે. સવાલ તેના વ્યવહારુ, સેન્સીબલ કે સમજણપૂર્વકના ઉપયોગનો છે અને તેમ કરવામાં કોઈની’ય સમજ કામ નથી આવતી, પોતાની જ બુદ્ધી અને ડહાપણને કામે લગાડવું પડે એમ છે.
પૂર્ણવિરામ: પત્નીની પતિને સાયબર ધમકી – તમે જેટલો સમય વોટ’સ એપ, ફેસબુક કે ટ્વીટર પર રહેશો તેટલો સમય હું મિન્ત્રા, ફ્લિપકાર્ટ કે એમેઝોન ઉપર રહીશ…
Courtesy : Dr. Hansal Bachech

જીવનમાં બુદ્ધિથી છેતરાવા કરતા લાગણીથી છેતરાવાના પ્રસંગો ઘણા વધુ પ્રમાણમાં અને ઘણી સરળતાથી આવતા હોય છે

14NOV
આઈફોન સિક્સ પ્લસના સાઈઠ હજાર અપાય?! હીરા બ્રાન્ડેડ લેવાય, આપણા સોની પાસેથી લેવાય કે પછી ઘર ઘરમાં કરતા કોઈ ઓળખાણમાં લેવાય?! ફલાણી સ્કીમ કે ફલાણા વિસ્તારમાં ઘર લેવાય?! – જીવનમાં ડગલેને પગલે ઉભા થતા આવા સંજોગોમાં તમે નિર્ણય ઉપર કેવી રીતે આવો?! કોઈપણ મેનેજમેન્ટ નિષ્ણાતને કે પછી તમને જીવન જીવતા શીખવવા નીકળી પડેલા લાઈફ કોચને પૂછશો કે આવા સંજોગોમાં નિર્ણય કેવી રીતે કરવો તો એ તમને આખી લાંબીલચક પ્રક્રિયા સમજાવશે. એક કાગળ લો, વચ્ચે લીટી દોરીને એને બે ભાગમાં વહેંચો. એક ભાગ ઉપર મથાળું મારો ‘ફાયદા’ અને બીજા ઉપર લખો ‘ગેરફાયદા’, પછી તમે દરેક પસંદગીના ફાયદા-ગેરફાયદા તપાસો અને નોધ કરો. આ ઉપરાંત તમારી આર્થિક બાબતો, પ્રાથમિકતાઓ વગરે પણ કાગળ ઉપર ટપકાવો. આ બધી જ કસરત કર્યા બાદ જે પસંદગી ઉત્તમ લાગે તેની તરફેણમાં નિર્ણય લેવો. સૈદ્ધાંતિક રીતે યોગ્ય લાગે, વાંચીએ કે સાંભળીયે ત્યારે પ્રભાવિત થઈએ તેમ છતાં પણ ક્યારે’ય વ્યવહારમાં આપણે આવી રીતે નિર્ણય લઈએ છીએ ખરા?! ના, મોટાભાગે તો નહીં જ અને તેમ છતાં’ય કોઈ મૂંઝાતી વ્યક્તિ આપણી પાસે સલાહ લેવા આવે તો પાછા સ્ટાઈલથી આવું બધું શીખવીએ છીએ ખરા !
તો પછી વ્યવહારમાં આપણે આવા નિર્ણયો કેવી રીતે લઈએ છીએ?! એની વાત પછી કરીએ, પહેલા એ વાત કરીએ કે પુસ્તકો, વર્ક્શોપો, લેકચરો વગેરેમાં શીખવવામાં આવતી નિર્ણય લેવાની આ પ્રક્રિયા વ્યવહારમાં કેમ ભાગ્યે જ ઉપયોગમાં લેવાય છે? ખાલી આજ દિવાળીની વાત કરીએ તો હજ્જારો આઈફોનો કે કરોડોના હીરા ખરીદાયા હશે પણ કોઈએ તે અંગેનો નિર્ણય લેવા આવી કસરત કરી હશે?! ના જ કરી હોય અને કરી પણ ના શકાય!! ઘણા કારણો છે, પહેલા તો આપણી કલ્પના શક્તિ જ એટલી વિકસિત નથી હોતી કે આપણે ફાયદા-ગેરફાયદાની પુરેપુરી અને વિસ્તૃત કલ્પના કરીને એની યોગ્ય યાદી બનાવી શકીએ. આપણી કલ્પનાઓ તો આપણને થયેલા અનુભવો સુધી જ સીમિત હોય છે. બીજા અર્થમાં કહીએ તો આપણા અંગત અનુભવમાં ના હોય તેવી બાબતોની કલ્પના કરવી સામાન્ય વ્યક્તિઓ માટે અઘરી અને બોરિંગ વાત છે. આ ઉપરાંત મોટા ભાગની વ્યક્તિઓનું મગજ આવી ગણતરીઓ કરવા ટેવાયેલું નથી હોતું કારણ કે તે ધીરજ, સમય અને મહેનત માંગી લે તેવું કામ છે. જયારે આપણે તાત્કાલિક, આવેગશીલ(ઈમ્પલ્સીવ) કે શક્ય તેટલી ઝડપથી નિર્ણય લેવા આપણા મગજને કેળવ્યું છે અથવા એમ કહોને કે માર્કેટિંગના નિષ્ણાતોએ તેમના વિવિધ ગતકડાઓ દ્વારા આપણને આ ચક્કરમાં પાડી દીધા છે. લોન્ચિંગ ઈવેન્ટ્સ(તમારી અક્કલ બહેર મારી જાય અને તમે લાગણીસભર થઇ જાવ એટલે અમારું કામ પત્યું), જ્યાં સુધી સ્ટોક હશે ત્યાં સુધીની ઓફરો( જો જો રહી ના જાવ, નહીંતર તમે પસ્તાશો એવું અમે તમારા મગજમાં ઠસાવી દઈશું), ઓન ધ સ્પોટ ફાઈનાન્સ(બજેટની ગણતરી છોડો, અત્યારે તો અમે આપીએ છીએ,તમે ત્યારે વાપરોને મઝા કરો), ગુડ્ઝ રીટર્ન પોલીસી(અત્યારે તો લઇ લો, ના ગમે તો પાછું લઇ લઈશું!), મેગા સેલ (હવે ખાલી સેલથી કામ ચાલે એવું નથી, આગળ મેગા, લુંટ, અનબિલીવેબલ, ધૂમ ખરીદી, મહા બચત વગેરે વિશેષણો અનિવાર્ય થઇ ગયા છે!), સેલીબ્રીટીઓ – આકર્ષક મોડેલોને લઈને થતી મોટી મોટી જાહેરાતો(જાહેરાતની અને તેમાં આ લોકોના ફોટા જોવાની કિંમત પણ સરવાળે તમારે જ ચુકવવાની છે) વગેરે આપણને કોઈપણ ખરીદી પહેલા વિચારતા અટકાવવાની સ્કીમો છે !
કંઈ સમજાયું?! ખરીદી કે પસંદગી અંગે નિર્ણય લેવાની બાબતમાં મગજને બંધ રાખવાની આપણી વૃત્તિઓ તો હતી જ અને એમાં ઉપરથી પોતાનો માલ પધરાવવાની તરકીબોએ તાળું મારી દીધું. એટલે, આજકાલ આપણે, ‘હું, તમે અને વિશ્વના મોટાભાગના લોકો’ બુદ્ધિથી ઓછી અને લાગણીઓથી વધુ ખરીદી કરીએ છીએ! આપણે મન વસ્તુની ઉપયોગીતા કે ગુણવત્તાના મહત્વનું સ્થાન તેના પ્રમોશન, તેના બ્રાંડ એમ્બેસેડર, તેની લાગણીસભર ટેગ લાઈન્સ કે જાહેરાતોએ લઇ લીધું છે. દિવસેને દિવસે આપણા મગજ પરનો આ ભરડો એટલો મજબુત થઇ ગયો છે કે હવે તો કોઈપણ વિકલ્પના ફાયદા-ગેરફાયદા પણ બુદ્ધિથી વિચારવાને બદલે લાગણીઓથી નક્કી કરીએ છીએ. બીજા અર્થમાં કહું તો પસંદગી તો લાગણીઓથી નક્કી જ હોય છે પણ તે યોગ્ય છે એવું આપણા મનને અને અન્યને ઠસાવવાની દલીલો કરવા આપણે બુદ્ધિને કામે લગાડીએ છીએ. ‘લેવું હોય તો લઇ લેવાનું, બહુ વિચાર કરે એ ક્યારે’ય લઇ ના શકે’ આપણી જાતને સમજાવવા અને અન્યને ટોણો મારવા કામ આવે એવી આ ફિલસુફી વાપરનારા લોકોએ એ સમજવાની જરૂર છે કે બહુ વિચાર્યા પછી જે ના લેવાય તે મોટાભાગે તમારા માટે બિનજરૂરી કે યોગ્ય જ હોય છે. આ વાત કદાચ જે તે સમયે તાત્કાલિક ના સમજાય પણ સમય જતા સમજાઈ જતી હોય છે.
આપણે જેની વાત કરી તે આજનું વ્યાપારિક સત્ય છે પરંતુ સાવ સાચી વાત એ છે કે એ વ્યવહારિક સત્યથી ખાસ અલગ નથી. વ્યાપારિક અવળચંડાઇએ બદલાયેલી આપણી માનસિકતાની ગંભીર અસર આપણા પ્રત્યેક વ્યવહારોમાં પડી છે. ખરેખર તો આજની વાતમાં આપણા જીવનના સુખ, સંતોષ અને સાર્થકતા સાથે સંકળાયેલું એક મોટું સત્ય છુપાયેલું છે. માનીએ કે ના માનીએ, સ્વીકારીએ કે ના સ્વીકારીએ પણ આપણી પસંદગીઓમાં બુદ્ધી ઓછી અને લાગણીઓ વધુ હોય છે. જયારે આપણી લાગણીઓને ઠેસ પહોંચે છે ત્યારે આપણી પસંદગી પ્રત્યે અફસોસ અનુભવીએ છીએ અને દુખી થઈએ છીએ. જીવનમાં બુદ્ધિથી છેતરાવા કરતા લાગણીથી છેતરાવાના પ્રસંગો ઘણા વધુ પ્રમાણમાં અને ઘણી સરળતાથી આવતા હોય છે. ‘આપણે શું વિચારીએ છીએ’ તેના કરતા ‘આપણે શું અનુભવીએ છીએ’ તેના ઉપર આપણું સુખ નિર્ભર હોય છે. જો આ બધી જ વાત સમજાતી હોય તો એ પણ સમજાઈ જવું જોઈએ કે લાગણીઓ ઉપરનો યોગ્ય કાબુ અને બુદ્ધિનો વ્યવહારુ ઉપયોગ સુખી જીવનની જડીબુટ્ટી છે.
પૂર્ણવિરામ:
લાગણીપ્રધાન લોકોની લાગણીઓને બુધ્ધિથી મચડીને બુદ્ધિપ્રધાન લોકો તેની મજા લેતા હોય છે…
Courtesy : Dr. Hansal Bachech

આપણે મહેનત કરીએ છીએ, આગળ વધીએ છીએ, સાધન-સગવડો ખરીદીએ છીએ પણ એનો અર્થ એમ ના સમજતા કે આપણે સુખી થઈએ છીએ, સુખનું ગણિત અલગ છે…

દિવાળી આવી ગઈ. સુખ-સંપત્તિના સપનાઓ સાકાર કરવાના અને નવા સંકલ્પો કરવાના દિવસો આવી ગયા. આમ તો સપના સાકાર કરવા કે સંકલ્પો કરવા માટેના કોઈ ચોક્કસ દિવસો કે સમય નથી હોતા, ૨૪X૭ ભજવાતો રહેતો મનનો આ ખેલ છે. પરંતુ વાર-તહેવારે આવતા વિશેષ(ધંધાદારીઓ માટે, ગ્રાહક માટે નહીં!) સેલની જેમ સપના–સંકલ્પો માટે આવા દિવસો અનિવાર્યપણે મહત્વના થઇ પડતા હોય છે. કોઈનું સપનું ઘર – કોઈનું વાહન, કોઈ માટે નવો મોબાઈલ, નવું લેપટોપ, માઈક્રોવેવ, ફ્રીજ, વોશિંગ મશીન, સોનું-ચાંદી, કપડા વગેરે. વસ્તુ,સાધન કે સંપત્તિ ગમે તે હોય પણ મૂળ હેતુ આનંદ-પ્રસન્નતા મેળવવાનો, સુખ પ્રાપ્ત કરવાનો કે જીવન સુખમય બનાવવાનો હોય છે.
આવી મઝાની વાતમાં’ય કમનસીબ હકીકત એ છે કે આ બધાથી તહેવારના દિવસો સુખમય બને છે પણ જીવન નહીં! કેટલી દિવાળી – કેટલી ક્રિસમસ ગઈ અને કેટલા સુખી થયા?! જીવનમાં જયારે જયારે તમારી ઈચ્છાઓ-સપનાઓ પૂર્ણ થાય છે કે હકારાત્મક ઘટનાઓ ઘટે છે ત્યારે આપણે ખુબ ખુશ થઈએ છીએ અને જીવનમાં પ્રસન્નતા છવાઈ જાય છે. જીવન સુખમય લાગવા માંડે છે પણ ક્યાં સુધી?! માની લો તમે બીએમડબલ્યુ કે મર્સીડીસ ખરીદી લીધી. નક્કી સાતમાં આસમાને શહેરમાં આંટા મારશો, દિવસમાં દસવાર એને જોઇને મનમાં ઉન્માદ અનુભવશો અને જીવનમાં જાણે એક પૂર્ણતાનો અનુભવ થશે. પરંતુ, બે-ત્રણ મહિના પછી?! પાછું એ જ રૂટીન – જે છે તેની હળવેકથી વધતી ઉપેક્ષા અને જે નથી તેની અપેક્ષા. જીવનની પૂર્ણતા માત્ર ટૂંક જ સમયમાં અપૂર્ણતામાં બદલાશે અને પાછી દોડ શરુ – સુખ અને આંનદની એ જ પાછી જૂની શોધખોળ!
‘લો તમે તો મઝા મરી જાય એવી વાત કરી?!’ ના, વાત હજી પૂરી નથી થઇ. હવે માની લો કે તમારું બ્રેક-અપ થઇ ગયું, તમારી ડ્રીમ કેરીયર હાથમાંથી જતી રહી કે તમને કોઈ અસાધ્ય રોગ થઇ ગયો. તમને થયું કે જીવન સમાપ્ત, હવે ફરી પાછું બેઠા નહીં થવાય, ફરી આવો સાથી કે મોકો જીવનમાં નહીં આવે અથવા જીવન પહેલા જેવું નહીં રહે વગેરે. બધી બાજુથી દુઃખમય નકારાત્મક વિચારો ઘેરી વળશે. પરંતુ ક્યાં સુધી?! કદાચ હકારાત્મક ઘટનાથી એક-બે મહિના વધારે પણ સરવાળે મન પાછું નવા સાથી – નવી કેરિયરની શોધમાં ભટકવા માંડશે. ગુમાવ્યાનું દુખ ગમે તેટલું મોટું કે ઊંડું હશે, નવું મળવાની સાથે ઓછું થતું જ જશે તે નક્કી. અસાધ્ય રોગ કે ખોડ સાથે જીવતા વ્યક્તિ શીખી જશે. અલબત્ત ઘણી વ્યક્તિઓ આ દુઃખને પ્રયત્નપૂર્વક જીવંત રાખવાનો પ્રયત્ન ચોક્કસ કરતા હોય છે અને તે પણ અંગત કારણોસર.
મહત્વની વાત એ છે કે જેમ સુખ સતત ભજવાતો ખેલ નથી તેમ દુખ પણ હંમેશા રહેતું નથી સિવાય કે તમે સ્વ-પીડનની વૃત્તિઓ ધરાવતા હોવ. મનોવૈજ્ઞાનિક સંશોધનો કહે છે કે આપણું મન પરિસ્થિતિઓ કે ઘટનાઓ સાથે વહેલું-મોડું અનુકુલન સાધી જ લેતું હોય છે. સુખનો ઉન્માદ જેમ ટકતો નથી તેમ દુઃખનો વિષાદ પણ કાયમી નથી. કરોડોનો જેકપોટ જેમ આખી જિંદગીને સુખી નથી બનાવી શકતો તેમ આંખનો અંધાપો આખી જિંદગીને દુખી નથી બનાવી શકતો. આ વાત સમજાઈ હોય તો સમજાઈ જશે કે શા માટે સેલીબ્રીટીઓ આત્મહત્યા કરે છે, વ્યસનો કરે છે કે ઊંઘની ગોળીઓ ખાય છે અને શા માટે અંધ વ્યક્તિ સંગીતકાર-ગાયક બને છે, પગ વગરના ઓલમ્પિક દોડે છે કે કેન્સરથી પીડાતા મેદાન ઉપર છક્કાબાજી કરે છે. સમય અને સંજોગો સાથે બદલાતી ઈચ્છાઓ અને અપેક્ષાઓ મનની અનુકુલન સાધવાની કુદરતી આવડતનું જ પરિણામ છે. વ્યક્તિ કોઈપણ સંજોગોમાં સરવાળે પોતાની પ્રસન્નતાના મૂળભૂત સ્તરે પાછી ફરે છે.
આજના યુગમાં તમને એવા અનેક ધંધાદારીઓ મળશે કે જે તેમની જાહેરાતો દ્વારા તમારા મગજમાં ૨૪X૭  એવું ઠસાવવાની કોશિશ કરતા રહે છે કે ગાડી-કપડા-આભૂષણો-મોબાઈલ જેવી વસ્તુઓ ખરીદતા કે બદલતા રહેવાથી, દેખાવ આકર્ષક બનાવવાથી કે સ્ટાઈલ-ફેશનમાં રહેવાથી કે પછી, આના જેવી અનેક બાબતોથી તમે પ્રસન્ન રહેશો, સુખી થશો. તમારા જીવનને સુખી અને વૈભવી બનાવવાની આવી દરેક વાત એક છળ છે જેના દ્વારા આર્થિક પ્રગતિ થાય પણ મનને જોઈએ છે તેવી કાયમી પ્રસન્નતા કે સુખ મળતું નથી. આપણે મહેનત કરીએ છીએ, આગળ વધીએ છીએ, સાધન-સગવડો ખરીદીએ છીએ પણ એનો અર્થ એમ ના સમજતા કે આપણે સુખી થઈએ છીએ. સુખનું ગણિત અલગ છે. પ્રસન્ન રહેવાની કળા જુદી જ છે. તમે જીવનથી કેટલા સંતુષ્ટ છો તે તમારી આસપાસની વસ્તુઓ ઉપરથી નહીં પણ એક વ્યક્તિ તરીકે તમે કેટલા ઉમદા છો તેના ઉપરથી નક્કી કરી શકાય એમ હોય છે. પોતાનામાં માનવીય ગુણો અને માનવતાના વિકાસથી તમે વ્યક્તિ તરીકે ઉમદા બનો છો. માણસ તરીકે ઉમદા કહી શકાય તેવા વ્યક્તિઓની પ્રસન્નતા ઈર્ષ્યા જન્માવે એવી હોય છે. એનો સરળ મતલબ એ થયો કે સુખનો સાચો આધાર બહારનું ભપકાદાર નહીં પણ તમારી અંદરનું મજબુત બનાવવા ઉપર છે.
નવા વર્ષનો સંકલ્પ કરવો જ હોય તો નક્કી કરો કે આ દિવાળીએ છું તેના કરતા વધુ ઉમદા વ્યક્તિ હું આવતી દિવાળી હોઈશ. મારા સંબંધો ઉમદા બનાવીશ, જાત સાથે મજબુત સેતુ બાંધીશ અને સમાજ ઉપયોગી બનીશ. આ બદલાવથી જન્મેલું સુખ ઓસરી નહીં જાય તેની ગેરંટી. દિવાળી અને નવું વર્ષ મુબારક…

આ અજવાળું તમને ફળે

જીવનમાં જે જોઈએ તે મળે…
નવ વર્ષની શુભેચ્છાઓ…
પૂર્ણવિરામ: સુખનું કોઈ સ્થાયી સરનામું નથી, એ તો તમારી સાથે બદલાતું રહે છે કારણ કે સુખ તમારા બે કાન વચ્ચે ભજવાતો ખેલ છે.
Courtesy : Dr. Hansal Bachech


Setting agenda for generation next


As students, you build your own future; and education is your duty to acquire

"Remember to comb beneath the hair if you want it to stay recharged and keep your mind virus-free," was one of the several nuggets I gave to college students in Mumbai on the subject of early leadership.
I began by asking them if they had planned for the next one, two, or 60 years? "If all goes well health-wise, you will live up to be 90-plus, so have you prepared for the decades to come in the demanding circumstances ahead? Would you be self-reliant, managing relationships well, and fulfilling responsibilities? Are you preparing your toolkit for the long haul?" I asked them. Laying the foundations of life skills was the focus of my address.
I told them leadership was an expression of responses to situations in life, responses drawn from the toolkit of our character that we build consciously or subconsciously. I reminded them that time flies. Their mentors, parents or providers will pass away some day, and in the end, they will be left on their own. Will they be in good company of their own self when they are by themselves?
Three gifts
I told them they were gifted thrice more than they thought, with a healthy body, a young mind, and the capability to grab the opportunities before them. They need to use all these gifts, none at the cost of the other. They must be conscious of their every thought, word and deed, which is called being your own witness. It's not early to know.
Time is now, before habits harden and we learn at a huge price.
Without mentioning names, I asked them if they had learned anything from a high-profile murder case where it is alleged that a rich mother killed her daughter in pursuit of greed. I reminded them that life would give them many instances to learn from. Wise will be those who pick up the right things to learn.
Be self-driven
Why must anyone remind you of your own responsibility at different stages of life? As students, you build your own future; and education - which is a combination of life skills, including professional ability - is your duty to acquire. The more attention you pay it, the securer you will be for the next 60 years.
Since youth indulge too long in social networking, it was natural to talk about this. "Why can't you be researchers? A world of knowledge is available at the press of a button, with search engines as your librarians. How much time do you spend on this, compared with the time you spend with friends on social-networking websites?" I asked them.
Don't wait for jobs
Your life will be built on the company you keep, the material you read, the experience you gain, and how you apply this experience in your day-to-day life. I was told the college had a department of entrepreneurship. I thought of asking the students how many of them had used their summer vacations to earn some money. In the audience of more than 650, only 30-odd hands went up. "Learn by doing, don't wait for jobs, that might come or not. Your self-confidence will be built by doing. The younger the stronger," I said.
When you give the attention-starved generation too much to absorb, they will pick and choose, even when all you said is vital. During the question time, a student was keen to know how the Indian youth could create a revolution of any kind. I replied: "If you care for your country, spare time to teach the illiterates and give skills to the poor, rural communities in particular."
Be responsible
India needs a million more schools. Why? Because we add another UAE or Australia each year to our population. Where will more resources come from?
The youth of this country need to be aware of their responsibilities as citizens and add "kindness quotient" to their IQ, EQ, and spiritual quotient. They could invest their summer vacations in doing internships or helping India become literate, skilled, and cleaner in the next five years. Independent women with earning ability would want to produce fewer children.
I was happy these graduate students heard me with respect. It was at Guru Nanak College of Arts, Science and Commerce. Built as a school in 1947 by the refugee Punjabi community, it has grown into an institution with own management institute. India's present and future were right there. I was the past, striving to remain in present and contribute to the future.
Courtesy : Dr. Crane Bedi